અમરેલીના નાના માચીયાળામાં વીજશોકથી પિતા-પુત્રના મોત
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૮ : અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામની સીમમાં પોતાની વાડીએ પાણી પીતા હતા. ત્યારે વિનુભાઇ બેચરભાઇ ગોહિલ તથા તેમનો દિકરો જીતેન્દ્રભાઇ વિનુભાઇ ગોહિલ (ઉ.વ.૩૪)ને અચાનક વીજ શોક લાગતા ઘરના સ્થળે મોત નિપજતા બંન્નેને લાશને પી.એમ.માટે અમરેલી સીવીલમાં લાવેલ છે.
છેતરપીંડી અમરેલીના ભોજલ રામ વાડીના માલિક મનજીભાઇ ભીખાભાઇ તલાવીયા (ઉ.વ.૮૧) નામના વૃધ્ધને અમદાવાદ અતુલ કુરવરસિંહ, સાહબદપાલસિંગ રાજપુત તેમજ અમરેલીના ઘનશ્યામ જોષી તથા તેમનો દિકરો હેમત જોષીએ લોભામણી તથા છેતરામણી સ્કીમ બતાવી છળકપટ છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી વૃધ્ધ પાસે પોતાની જમીનના નાણા તેમજ અન્ય મુડી મળી કુલ રૂ.પ,પ૦૦,૦૦૦ લાખ રૂપિયા ઓળવી જવાના ઇરાદે યુવાનિધી કંપની લી.એ રોકડા ડીપોઝીટ કરાવી પાકતી મુદતે પરત નહી કરી, ગુન્હો કર્યાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા બનાવની વધુ તપાસ પી.વી. પલાસ પો. સબ. ઇન્સ. ચલાવી રહયા છે.