ભાવનગર : કોઠારી સ્વામી પૂ. ભક્તિ પ્રિયદાસજી મહારાજની નિશ્રામાં ગઢડાના શિક્ષાપત્રી મંદિરે ૨૨મીથી મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
ભાવનગર તા.૧૯ : ગઢડા(સ્વામી)ના સ્વામિનારાયણ શિક્ષાપત્રી મંદિરે છ દિનનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને શિક્ષાપત્રી ભાગ્યની કથાનું આયોજન થયું છે.
કોઠારી સ્વામી પુ. ભક્તિ પ્રિય દાસજી મહારાજના જણાવ્યા અનુસાર સહજાનંદ સ્વામી મહારાજની પંચધાતુની મૂર્તિ તથા ૨૧૨શ્લોકાત્મક સુવર્ણમય શિક્ષાપત્રી સ્વરૂપની મૂર્તિ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૨ થી ૨૬ જાન્યુઆરી રાખવામાં આવેલ છે. આ પ્રતિષ્ઠા અંતર્ગત શિક્ષાપત્રી ભાગ્યની પાંચ દિવસની કથા, ત્રણ દિવસ ૨૧૨ કુંડી શિક્ષાપત્રી મહાવિષ્ણુયાગ, રાજોપચાર મહાપૂજા, એલઇડી પ્રદર્શન, શિક્ષાપત્રી સુવર્ણ તુલા,ડ્રાયફ્રુટ મહાભિષેક, અન્નકુટ, શાકોત્સવ તથા ૧૯૭મી શિક્ષાપત્રી જયંતિ તા. ૨૬ જાન્યુઆરીના દીને વડતાલ પીઠાધીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.