News of Thursday, 19th January 2023
વડીયા સ્વામિનારાયણ દિવ્ય સંત શ્રી દેવકૃષ્ણદાસ સ્વામીજી બ્રહમલીન
અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો, હરિભક્તો જોડાયા
વડિયા : વડિયાની સુરવો નદી કિનારે આવેલા સ્વામિનારાયણ દિવ્યધામ મંદિર ના કોઠારી સ્વામી એવા પ્રામાણિક અને ભક્તિવાન સંત શ્રી દેવકળષ્ણ દાસજી સ્વામી વર્ષો થી વડિયા મંદિર માં સેવા પૂજા કરતા હતા. પ્રેમાળ અને ભક્તિવાન સ્વભાવ ના કારણે ખુબ મોટી સંખ્યામાં ભક્તો માં તેમના પ્રત્યે ખુબ મોટો આદર ભાવ હતો. આવા દિવ્ય સંત હાલ પળથ્વીલોક ને અલવિદા કહી મનુષ્ય દેહ છોડી પરમાત્મા ના ધામ માં જતા સમગ્ર પંથક માં શોક નો માહોલ છવાયો છે.
બુધવારે સવારે નવ કલાકે તેમની અંતિમ યાત્રા વડિયા સ્વામિનારાયણ મંદિર થી નીકળી હતી જેમા મોટી સંખ્યામાં સાધુ સંતો, હરિભક્તો અને સામાજિક, રાજકીય આગેવાનો જોડાયા હતા.
(11:38 am IST)