સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th January 2023

વ્‍યાજખોરોના ત્રાસથી જેતપુરના બે યુવાનોએ જીંદગી ટુંકાવી

હર્ષમેર (ઉ.ર૩) નો ફાંસો ખાઇ અને રોનક લાઠીગરા (ઉ.ર૭)નો ઝેરી દવા પી આપઘાત કરી લેતા જેતપુર પંથકમાં હાહાકારઃ પોલીસની કડક ઝૂંબેશ છતા વ્‍યાજખોરો બેકાબુ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૯:  વ્‍યાજખોરીના ત્રાસથી માસુમ જીંદગી હોમાતી હોય પીરવાર નોંધારા બની જતા હોય સરકાર દ્વારા એક અભિયાન ચલાવી વ્‍યાજખોરીથી ત્રાસ પામેલ લોકો આગળ આવી ફરીયાદ કરે અને તેને તુરંત યોગ્‍ય ન્‍યાય મળે તે માટે ઠેર-ઠ.ર લોક દરબારના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્‍યારે જેતપુરમાં એક દિવસમાં બે યુવાનોએ વ્‍યાજના વિષચક્રમાં ફસાઇ જીંદગી ઠુંકાવતા હાહાકાર મચી ગયો હતો.

શહેરના જુના પાંચ પીપળા રોડ વિસ્‍તારમાં રહેતા હર્ષ રમેશભાઇ મેર (ઉ.વ. આ.૨૩)એ ગઇકાલે સાંજે પોતાના ઘરે કોઇ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા  કરી લેતા પોલીસે મૃતદેહને પી.એમ. માટે હોસ્‍પિટલે ખસેડી સ્‍થળનું પંતનામુ કરતા ત્‍યાંથી એક સુસાઇડ નોટ મળેલ પરંતુ કોને આપવાના છે કે કોઇ પાસેથી વ્‍યાજે લીધેલ છે કે એને ત્રાસ આપે છે કે તેવો કોઇ ઉલ્લેખ કે નામ લખેલ નથી માટે પોલીસે તેની તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં કામદાર શેરી મોટા ચોકમાં રહેતા મનીષભાઇ લાઠીગરા કે જેઓ કેટરસમાં કામ કરે છે તેનો જુવાન દિકરો રોનક (ઉ.વ. આ.૨૩) પોતે જીમ ટ્રેનર હોય મોરબીમાં જીમ ટ્રેનર તરીકે નોકરી કરતો હતો ત્‍યાં વ્‍યાજખોરો તેને ત્રાસ આપતા હોય જેતપુર આવી ગયેલ, અહીં પણ જીમ જુનાગઢ રોડ પર આવેલ છે ત્‍યાં નોકરી કરતો હોય તેને અહીં પણ વ્‍યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોય વ્‍યાજખોરોના ત્રાસથી કંટાળી ગઇ કાલે ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી લેતા આ બનાવની જાણ શહેર પોલીસને કરાતા પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્‍પીટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરતા યુવકના પરિવારજનોએ ત્રાસ આપતા વ્‍યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ફરીયાદ નોંધવા જણાવેલ પોતાના પુત્રને કઇ કઇ વ્‍યકતી ત્રાસ આપતી હતી તેના તમામના નામ ફરીયાદમાં જણાવશે તેવુ જાણવા મળેલ છ.ેશહેરમાં વ્‍યાજના વીષ ચક્રોમાં ફસાયેલા બે યુવાનોએ આત્‍મહત્‍યા કરી લેતા તેના પરિવાર ઉપર આભફાટી પડયું છે.

(2:00 pm IST)