ધોરાજીમાં ચક્ષુદાતાના પરિવારનું સન્માન
ધોરાજી : માનવ સેવા યુવક મંડળ દ્વારા ચક્ષુદાનની સુવિધાઓ ચાલુ કરતા અને તાજેતરમાં જ ર ચક્ષુદાન થયેલ. આ અંગે ચક્ષુદાતાના પરિવારજનોને માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ દ્વારા સર્ટીફીકેટ આપી શાલ ઓઢાડી સન્માન કરેલ હતા. આ તકે પહેલા સ્વ.બિહારીલાલ રાજપરાના પુત્ર મિત્ર રાજપરા અને ગીરીશભાઇ કે.રાજપરા રાજકોટ વાળાઓ તેમજ સ્વ.જમનાદાસ કરમશી સંગાણીના પુત્રીઓ રિધ્ધિબેન આષીશ કાછડીયા, જીગીશાબેન સંજયભાઇ તંગી અને અર્જુનભાઇ સાંગાણી સહિત બંને પરિવારજનોની રાષ્ટ્ર સેવાઓને બિરદાવી તેઓનેેે સન્માનીત કરેલ હતા. આ તકે સરકારી હોસ્પિટલના અધ્યક્ષ ડો.જયેશભાઇ વસેટીયન, ડો.દેવેન્દ્રસિંહ સેખાવત માનવસેવાના ધર્મેન્દ્રભાઇ બાબરીયા, ભોલાભાઇ સોલંકી સહિતના હાજર રહી ચક્ષુદાતાઓોનો આભારવ્યકત કરેલ. ચક્ષુદાતાઓએ જણાવેલ કે ધોરાજી જેવા નાના ગામમાં ચક્ષુદાન સુવિધા ચાલુ કરવા બદલ માનવ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓનો આભાર માનેલ હતો. સન્માન કરાયુ તે તસ્વીર.