ભાજપ દ્વારા અમરેલી જીલ્લામાં જાહેરસભા
અમરેલીઃ રાષ્ટ્રભકિત અને લોકલ્યાણ ભાજપનો મૂળભુત મંત્ર છે તેને સ્થાનીક સ્વરાજની ચુંટણીઓમાં ભાજપના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થ પ્રાપ્ત થઇ રહેલ છે તે જીતનો સ્પષ્ટ સંકેત આપે છે તેમ કેસરીયા માહોલમાં બાબરા તાલુકાની કરીયાણા જીલ્લા પંચાયત સીટના ખંભાળા, દેવળીયા, કોટડા પીઠા પ્રચારાર્થે યોજાયેલ જાહેર સભાને સંબોધતા આગેવાનોએ જણાવેલ હતું. સભામાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઇ કસવાળા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, પુર્વ મંત્રી બાવકુભાઇ ઉંઘાડ, પુર્વ ધારાસભ્ય લાલજીભાઇ ખોખરીયા, મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા, બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતીનભાઇ રાઠોડ સહીતના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ-ગ્રામજનો ઉપસ્થિત રહયાનું ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે. (તસ્વીરઃ અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)