એકાદશી નિમિતે ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે ફળફ્રુટ-ફળોત્સવ દર્શન
તમામ ફળોનું જરૂરિયાતમંદો-દર્દીઓને વિતરણ કરાશે
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯: શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભૂપેન્દ્ર રોડ ખાતે મંગળવાર તા. ર૩ના એકાદશી નીમીતે મહંત સ્વામી રાધારમણદાસજી દ્વારા શ્રી લક્ષ્મીનારાયણદિ દેવો સમક્ષ વિવિધ ફળો જેવા કે, સફરજન, દાડમ, કેરી, વિવિધ દ્રાક્ષ, કેળા, ટેટી, જામફળ, ચેરી, સંતરા, ચીકુ અનાનસ, કમલમ તરબુચ, મોસંબી, પેરૂ, બોર કીવી, રાસબરી, સ્ટ્રોબરી, સીતાફળ, પપૈયા, શીંગોડા, આદિક વિવિધ ફળોથી ફળફુટની રચના સંતો હરિભકતો દ્વારા રચિત ફળોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.
ફળોત્સવના દર્શનનો લાભ ભાવિક ભકતો બહોળા પ્રમાણમાં લઇ શકે તે હેતુથી દર્શનનો સમય સવારના ૭-૩૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. સર્વ ધર્મપ્રેમી, ભાવિકજનોને ફળફ્રુટ, ફળોત્સવ દર્શનનો લાભ લેવા મહંતસ્વામી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
ફળોત્સવમાં દેવોને ધરાવવામાં આવેલ તમામ ફળો વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ, દિવ્યાંગો, નારી સુરક્ષા ગૃહ, સરકારી હોસ્પીટલ, ચીલ્ડ્રન હોસ્પીટલ તેમજ જરૂરીયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવશે.