ખંભાળિયાના દર્દીને જામનગર મુકવા જતી એમ્બ્યુલન્સને ખાવડી પાસે અકસ્માત ૧ યુવાનનું મોત
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૧૯: શકિતનગરનાં રહેવાસી અનીલભાઇ કછટીયા પોતાની ખાનગી એમ્બ્યુલન્સ ચલાવે છે તેમાં ગત રાત્રીના એક મહિલા દર્દીને જામનગર મુકવા જવાનું હોય પાછા એકલા ના આવવું પડે તે ન્યાયે તેના કુટુંબી મિત્ર અંશ વિજયભાઇ કછટીયા રહે. સ્ટેશન રોડ પાસે યોગેશ્વરનગર વાળા ર૧ વર્ષના યુવાનને સાથે લીધેલો. રાત્રે ખંભાળિયાથી જામનગર જતાં રીલાયંસ કંપની પાસે ખાવડી પાસે ચાલક અનિલભાઇથી ઇકો કાર એમ્બ્યુલન્સ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા તેમાં બેઠેલા અંશ કછટીયા ઉ. ર૧ ને ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજયું હતું. જયારે અનીલનો સામાન્ય ઇજા ફ્રેકચર થયું હતું. મૃતક અપરણિત હતો. બનાવની જાણ થતાં જિ. પં. સદસ્ય સંજયભાઇ હરિભાઇ નકુમ ગાડી તથા સ્વયંસેવકો સાથે ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તો તથા મૃતકની વ્યવસ્થા કરાવી હતી.