પોરબંદરમાં ર દિવસમાં કોરોનાના ર૦૦ પોઝીટીવ કેસઃ ર મૃત્યુ
કોરોનાની સારવારમાં ૪૦ દર્દીઓ સાજા થયાઃ જિલ્લામાં ૩૩ર હોમ આઇસોલેશન
(પરેશ પારેખ, સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯ : જિલ્લામાં કોરોના ચેપ વધતો જાય છે. બે દિવસમાં ર૦૦ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. કોરોનાની સારવારમાં ૪૦ દર્દીઓ સાજા થઇ ગયેલ છે. ર૪ કલાકમાં ર દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.
કોરોનાના ૧૧૬૯ ટેસ્ટ ગઇકાલે કર્યા હતા. જેમાં ૯૯ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ બે દિવસ પહેલા ૧૦૦ વ્યકિત કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યાં હતાં.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ રર૮૩ કોરોના પોઝીટીવ કેસ થયા છે.
સારવાર દરમિયાન ૪૦ દર્દીઓ સાજા થઇ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ર૪ કલાકમાં દર્દીઓના મૃત્યુ થયેલ છે. જિલ્લામાં કુલ મૃત્યુઆંક ર૪૪ થયેલ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૮૬૪ દર્દીઓ સાજા થઇ ગયાં છે.
જિલ્લામાં ૩૩ર વ્યકિતઓ હોમ આઇસોલેશનમાં છે. સિવિલ હોસ્પિટલમાં ૪૦ દર્દીઓ કોરોનાની સારવારમાં છે.