સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th May 2021

ધોરાજીમાં ૪૦ જેટલા નાના-મોટા વૃક્ષો ધરાશયી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧૯ :  ધોરાજીમાં વાવાઝોડાની પણ ભારે અસર જોવા મળી હતી.

ધોરાજીમાં ૪૦ જેટલા નાના-મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. ધોરાજી પોરબંદર નેશનલ હાઇવે પર પણ વૃક્ષ ધરાશાયી થયું હતું.

વૃક્ષ ધરાશયી થતા ફોરેસ્ટ વિભાગ અને એનઅડીઆરએફની ટીમ દ્વારા વૃક્ષ હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે ૪૦ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા.

(1:07 pm IST)