સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th May 2021

મોરબી જીલ્લામાં કોરોનાના માત્ર ૨૦ કેસ, આજે એકપણ મૃત્યુ નહિ: જીલ્લામાં ૭૦ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી જીલ્લામાં કોરોના કહેર બાદ કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે મોરબી જીલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા છે જયારે એકપણ દર્દીનું મોત થયું નથી
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૭ કેસો જેમાં ૦૬ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં, હળવદના 02 કેસ શહેરી વિસ્તારમાં, ટંકારાના ૦૪ અને માળિયા તાલુકાના ૦૬ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૦ કેસ નોંધાયા છે જયારે જીલ્લામાં ૭૦ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૪૮૮ થયો છે

(9:41 pm IST)