પડાણા ગામે પરિણિતાને સાસરીયાએ માર માર્યો
જામનગર, તા.૧૯: મેઘપર પોલીસ સ્ટેશનમાં સીમાબા શૈલેન્દ્રસિંહ વનરાજસિંહ રાણા, ઉ.વ.ર૪, રે. પડાણાગામ, વાછરાડાડાના મંદિરની બાજુમાં, તા.લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮-ર-ર૦ર૧૭ થી લગ્ન થયા બાદથી આજદિવસ સુધી આરોપી પતિ શૈલેન્દ્રસિંહ વનરાજસિંહ રાણા, સાસુ- જયાબા વનરાજસિંહ રાણા, જયોતીબા વનરાજસિંહ રાણા, રે. નારીગામ, ભાવનગરવાળા એ ફરીયાદી સીમાબા સાથે ઝઘડો કરી મારકુટ કરી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મેણાટોણા મારી આરોપી સાસુ - જયાબા વનરાજસિંહ રાણા તથા નણંદ જયોતીબા વનરાજસિંહ રાણા એ માથામા તથા શરીરે બંન્ને હાથે તથા પગે તથા વાસામાં ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી ગુનો કરેલ છે.
લાલપુરમાં તાળા ફંફોળતા બે ઝડપાયા
લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. કરણભાઈ ધાનાભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, જુના સીનેમા રોડ પાસે, લાલપુરમાં આરોપી દિપક જેન્તીભાઈ પરમાર, આકાશ અશોક પરમાર, રે. લાલપુરવાળા રાત્રીના સમયે અંધારામાં લુપાતા છુપાતા બંધ દુકાનોના તાળા તપાસતા ગુનો કરવાના ઈરાદે મળી આવતા ઝડપાઈ ગયેલ છે.