કોરોના મહામારીમાં ભોગ બનેલ મોબાઇલના વેપારીઓના સ્વજનોને શ્રધ્ધાંજલી આપતુ કેશોદ મોબાઇલ એસોસીએશન
(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૮: કેશોદ મોબાઈલ એશોશીએશનની હોદેદારો અને કારોબારી સભ્યોની મીટીંગ મળી હતી. જેમાં ઓલ ઇન્ડિયા મોબાઈલ રીટેલ એશોસીએશનનાં જનરલ સેક્રેટરી ભાવેશભાઈ સોલંકી નું હ્રદય રોગથી અવસાન થયુછે જે મૂળ ગુજરાત ના વતની તથા પુના મહારાષ્ટ્ર ખાતે છેલ્લા ઘણા વર્ષો થી મોબાઈલ વેપાર સાથે જોડાયેલા હતા. નાનામાં નાનામોબાઈલ વેપારીઓના પ્રશ્ને લડત આપતા તથા ઓલ ઇન્ડિયા મોબાઈલ રિટેલ જૂનાગઢના ઉપપ્રમુખ કાદરભાઈનું પણ કોરોનાથી દુઃખદ અવસાન થયેલ હોઈ અને આ મહામારી માં કેશોદ શહેરનાં મોબાઈલ નાં વેપારીઓ ડિસ્ટ્રીબ્યુટર્સ અને રીટેલર નાં પરિવારજનો સ્વજનો ગુમાવ્યા છે તેઓને બે મિનિટ નું મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પી કોરોના મહામારી જડમૂળથી દૂર થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં કેશોદ મોબાઈલ એશોશીએશનના પ્રમુખ રાજુભાઈ બોદર ઉપપ્રમુખ દીવ્યેશભાઈ છાયા સહિતના હોદ્દેદારો કારોબારી સભ્યો હાજર રહ્યા હતાં.