News of Saturday, 19th June 2021
કાલાવડનાં નવાગામ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલઃ નદીમાં નવા નીર આવતાં ખેડૂતોમાં ખુશીનું મોજુ
નવાગામ : જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. કાલાવડ તાલુકાના નવાગામ, મોટી વાવડી, મુળીલા, માછરડા, અરલા છતર, ધુન ધોરાજી સહિતના ગ્રામ્ય પંથકમાં સવારથી જ અસહ્ય ગરમી બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. જેમાં મુળીલા અને મોટી વાવડી તેમજ અરલા ગામની નદીમાં નવા નીર આવ્યા હતાં. વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. (તસ્વીર : અહેવાલ : હર્ષલ ખંધેડીયા -નવાગામ (કાલાવડ)
(11:52 am IST)