જસદણઃ ઓપન કેટેગરીમાં અનામત વાળાને સમાવેશ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા હરેશભાઈ હેરભા
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૦: તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઓપન કેટેગરીમાં અનામત વાળાનો મેરીટમાં સમાવેશ આપવાનો ફેંસલો જસ્ટિસ ભટ્ટ સાહેબે આપ્યો છે. ન્યાયમૂર્તિ ઉદયલલિત ની અધ્યક્ષતા વાળી સર્વોચ્ચ અદાલત પીઠ ના અનામતના ફાયદાને કરેલ અરજી નો મહત્વના ચુકાદો જસ્ટિસ ભટ્ટ સાહેબે સંભળાવ્યો હતો.રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા એ વધુમાં જણાવ્યું હતું કે હવે થી અનામત વાળાને પણ યોગ્યતા માટે તક મળશે અને જાતીના આધારે નહિ પણ યોગ્યતા પર ધ્યાન અપાશે અને મેઘાવી ઉમેદવારો ને તક મળશે. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાને આવકારતા વધુમાં રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરભાએ જણાવ્યું હતું કે આ ચુકાદો ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેમ છે તેજસ્વી પ્રતિભા ધરાવતા લોકોને આ ચુકાદાથી સારી તક મળશે.