સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

વાંકાનેરના માટેલ આઇ શ્રી ખોડીયાર માતાજીને શ્રૃંગાર

વાંકાનેર :.. વાંકાનેર તાલુકાના જગ વિખ્‍યાત અને સૌના આસ્‍થાનું પ્રતિક  આઇ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે માતાજીના નિજ મંદિરમાં સુંદર કલાત્‍મક પુષ્‍પોના શણગાર દર્શન યોજાયેલ હતા તેમજ કલાત્‍મક ફુલોની રંગોળી કરવામાં આવેલ હતી. મહંત શ્રી રણછોડદાસબાપુ દૂધરેજીયા, વિશાલભાઇ રણછોડદાસબાપુ તથા આઇ શ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલ મંદિર દ્વારા સત સેવાના ધર્મ કાર્યો માટેલધરા ખાતે થઇ રહ્યા છે. તેમ મુનાભાઇની યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીર - અહેવાલ : હિતેશ રાચ્‍છ, વાંકાનેર)

 

(10:27 am IST)