સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

ખાંભામાં હનુમાનપુર ગામે ખેતરમાં પશુઓ ચરાવવા મુદ્દે મારામારી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૦ : ખાંભા તાલુકાના  હનુમાનપુર ગામે બાપાસીતારામના ઓટા પાસે દેવાયતભાઇ વીરાભાઇ બોરીચાના કાકાના દિકરાએ આરોપીના ભાઇને પોતાની વાડીમાં માલઢોર ચારવાની ના પાડેલ.

જે મનદુઃખ રાખી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા રાણા ગોવિંદભાઇ, રમેશ ગોવિંદભાઇ, નૈનેરા ચોથાભાઇ, શિવ ભોળાભાઇ બારૈયાએ દેવાયતભાઇ તેમજ તેમના કુટુંબીને કુહાડી અને પાઇપ વડે માર મારી ઇજાઓ કરી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જયારે સામાપક્ષે ચોથાભાઇ ગોવિંદભાઇ બારૈયા શિવાભાઇ ભોળાભાઇ બારૈયાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં બાપા સીતારામના ઓટા પાસે જણાવેલ કે અમારા ખેતરે કેમ માલઢોર ચરાવી જાય છે. તેવું જણાવી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી જીલુ રામભાઇ, સુરીંગ વિરૂભાઇ, તખુ ભગુભાઇ, દેવાયત વિરૂભાઇ, રણુ ચંપુભાઇ, ચંપુ રામભાઇ અને આલ્કુ ચંપુભાઇ બોરીચાએ ચોથાભાઇ અને તેમના કુટુંબીઓને કુહાડી, પાઇપ અને લાકડી વડે માર મારી ચોથાભાઇને હાથમાં ફેકચર કરી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાી છે.

(1:18 pm IST)