News of Thursday, 20th January 2022
ભકિતનું મુખ્ય સ્વરૂપ ભાવ છેઃ પૂ. હરિચરણદાસજી મહારાજ
તબિયતમાં સુધારો થયા બાદ ધાર્મિક માર્ગદર્શનનો વિડીયો વાયરલ
રાજકોટ તા. ૨૦ : ગોંડલના શ્રી રામ મંદિરના સદ્ગુરૂ પૂ. હરિચરણદાસજી મહારાજ ભાવિકોને ધર્મલાભ આપતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જેમાં પૂ. હરિચરણદાસજી મહારાજ ભકિતનું મુખ્યસ્વરૂપ ‘ભાવ' છે તેમ કહી રહ્યા છે.
કોઇ મહિલા દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવે છે જેના જવાબ પૂ. હરિચરણદાસજી મહારાજ આપી રહ્યા છે. આ વિડીયો પૂ. હરિચરણદાસજી મહારાજની તબિયત સુધર્યા બાદનો છે.
પૂ. હરિચરણદાસજી મહારાજ વધુમાં જણાવે છે કે, ભાવ દુભાવ થઇ જાય ત્યારે બધુ જ બગડી જાય છે તેથી ‘ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું.' જે કરો તે ભાવથી કરો. ‘રામ નામ મેં સારા બ્રહ્માંડ આ જાતા હૈ' તેમ પણ પૂ. હરિચરણદાસજી મહારાજ જણાવી રહ્યા છે.
(2:46 pm IST)