સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માનો કોરોના પોઝીટીવ રીપોર્ટ

કોરોનાની ત્રીજી લહેરમાં પોલીસ સ્‍ટાફ તથા અધિકારીઓને કોરોના બાદ કલેકટરને કોરોના સંક્રમણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૦ :. જિલ્લા કલેકટર અશોક શર્માનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેમને હોમ આઈસોલેટ કરાયા છે.
જિલ્લા કલેકટર અશોક શર્માને કોરોનાના સામાન્‍ય લક્ષણો જણાતા અને કોરોના ટેસ્‍ટ કરાવતા તેમનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે. શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની વધતી અસરમાં થોડા દિવસ પહેલા શહેરના પોલીસ સ્‍ટાફ તથા અધિકારીઓ કોરોના પોઝીટીવ થયા બાદ જિલ્લા કલેકટર અશોક શર્માને કોરોના સંક્રમણ લાગી જતા તેઓ હોમ આઈસોલેટેડ થયેલ છે.

 

(3:33 pm IST)