ધોરાજીમાં દિયરે ત્રાસ આપી માર મારતા ભાભીએ ફીનાઇલ ગટગટાવ્યું :ધોરાજી હોસ્પિટલમાં સારવારમા
તુ જો હું બે દિવસમાં તારો વારો લવ છું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી
(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી: ધોરાજીમાં દિયરે ત્રાસ આપી માર મારતા ભાભીએ ફીનાઇલ પીલેતા પોલીસ ફરિયાદ નોધાઈ
આ અંગે પોલીસ ફરિયાદમાં દેવલબેન અજયભાઇ (ઉ.વ.26)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મજૂરી કામ તેમજ ઘરકામ કરું છું, તથા ધોરાજીના રામપરા માં મારા કુટુંબ પરીવાર સાથે રહું છું.
મારે સંતાનમા એક દીકરો છે અને મારા કુટુંબમાં મારા સાસુ - સસરા તથા દેર દેરાણી તથા બાળકો સાથે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. મારા લગ્ન સને 2017 ના વર્ષમાં ચંદુભાઇ કાળાભાઇ ના દીકરા અજય સાથે અમારી જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા અને લગ્ન બાદ હું તથા મારા પતિ અજય તથા સાસુ શારદાબેન, સસરા ચંદુભાઇ બધા સંયુક્ત કુંટુંબમાં રહેતા હતા અને મારા લગ્ન બાદથી આ મારો દીયર અવાર નવાર અમારી સાથે માથાકુટ કરતો હોય અને ઝઘડો કરતો હોય જેથી અમે તેનાથી દુર અલગ અલગ જગ્યાએ રહેવા જતા રહેલ હતા પરંતુ અમને ત્યા ફાવ્યું ન હોવાથી પાછા ધોરાજી અમારા ઘરે રહેવા આવતા રહ્યા હતા,
જે બાદ મારા દીયર વિજય ઉર્ફે બગી અમારા ઉપર સતત માનસિક તેમજ શારીરીક ત્રાસ ગુજારતો હોય અને ગઈ તા.18/01/2022 ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યે હું મારા ઘરે રસોઇ બનાવતી હતી તે દરમ્યાન મારા દીયર ઘરે આવી અને મારી સાથે માથાકુટ કરવા લાગેલ અને મને કહેલ કે તુ જો હું બે દિવસમાં તારો વારો લવ છું તેમ કહી મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને અમારી સાથે માથાકુટ કરવા લાગેલ અને મને ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ દરમ્યાન મારા પતિ વચ્ચે આવતા આ મારો દીયર અમોને જેમ ફાવે તેમ અપશબ્દો દેતા દેતા ત્યાંથી જતો રહ્યો હતો. બાદ અમને દીયરનો ત્રાસ સહન ન થતા ઘરની ઓસરીમા પડેલ ફીનાઇલના ડબલામાંથી આશરે બેક નાના ઢાંકણા જેટલી ફીનાઇલ પી લેતા ધોરાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
ધોરાજી પોલીસના પીએસઆઈ પી.કે. શામળાએ ફરિયાદ મુજબ ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.