સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

જૂનાગઢ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો:નવા 159 પોઝીટીવ કેસ નોંધાયો : વધુ 67 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 129 કેસ, જૂનાગઢ ગ્રામ્યમાં 4 કેસ,કેશોદમાં 11 કેસ, વંથલી અને વિસાવદરમાં 5-5 કેસ, મેંદરડામાં 2 કેસ, ભેસાણ,માણાવદર અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો, છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 159 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 67 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,

આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા નવા 159 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 129 કેસ, જૂનાગઢ ગ્રામ્યમાં 4 કેસ,કેશોદમાં 11 કેસ, વંથલી અને વિસાવદરમાં 5-5 કેસ, મેંદરડામાં 2 કેસ, ભેસાણ,માણાવદર અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે,

(8:49 pm IST)