News of Friday, 20th January 2023
અમરેલી જીલ્લાના વડિયા પંથકમાં સિંહો ઉપર લાઇટો કરીને પજવણી
અમરેલી,તા. ૨૦ : અમરેલી જીલ્લાના વડિયા પંથકમાં સિંહો ઉપર લાઇટોનો પ્રકાશ ફેંકીને પજવણી કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.
સોશ્યલ મિડીયામાં તેનો વિડીયો પણ વાયરલ થયો છે.
થોડા સમયથી વડિયા ગ્રામ્ય વિસ્તારોમાં ૯ સિંહો આંટા મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ખાન ખીજડીયામાં પશુનું મારણ પણ કર્યું હતું.
પજવણી કરનાર સામે કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓએ માંગ કરી છે.
(1:44 pm IST)