સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th February 2021

લુવારાની ઘટનાના વિરોધમાં સાયલાના નાગડકામાં ક્ષત્રિય સમાજ દ્વારા મતદાનનો બહિષ્કાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૦: સાયલા તાલુકાના નાગડકા ગામના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સ્વરાજયની ચૂંટણી નો બહિષ્કાર કર્યો છે.

નાગડકા ગામે કરણી સેના.સૂર્યસેના વતી ..ગામના યુવાનો . વડીલોને સાથે રાખી એક અમરેલીના લુવરા ગામના હેમુબેન ખાચરને ન્યાય અપાવવા મીટીંગનુ આયોજન કરેલ તેમાં બધાજ સમાજના લોકો આવેલ છે અને નાગડકા ગામે્ મતદાન નહીં કરીએ  તેવો બધાજ સમાજે પોતાના મનથી આ નિર્ણય લીધો છે.

કરણી સેનાના  નાગડકા અનીરૂધભાઇ એ ખાચર, શીવરાજભાઈ જેબલીયા, મહાવિરભાઈ ખાચર, બાબભાઈ ખાચર લોયા, પ્રવીણભાઈ બાબભાઈ ધાધલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:37 am IST)