સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th February 2021

જસદણના દિનેશ ધરજીયાનું પેટમાં દુઃખાવા બાદ મોત

મોતનું કારણ જાણવા રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૨૦: જસદણના વાછકપરામાં પોલીસ સ્ટેશન સામે રહેતાં દિનેશ ધનજીભાઇ ધરજીયા (ઉ.વ.૨૫)નું પેટમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

દિનેશને ગત સાંજે પેટમાં તકલીફ થતાં જસદણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહિ તે મૃત હોવાનું જણાવતાં મૃતદેહ જસદણ લઇ જવાયો હતો. ત્યાંથી પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો. મૃતક બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને પાનની દૂકાન ચલાવતો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)