કેશોદ તાલુકામાં ઘઉંનો પાક તૈયાર પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા
(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૦: કેશોદ તાલુકામાં શિયાળુ પાક ઘઉનું મોટા ભાગના ખેડુતોએ વાવેતર કરેલ હતુ જે પાક તૈયાર થતાં ઘઉની કાપણીની કટરો શરૂઆત થઈ રહીછે ઘઉનો પાક તૈયાર થતાં ખેડુતો ઉપજની દ્રષ્ટીએ મન મનાવી તો રહયાછે પણ પોષણક્ષમ ભાવના અભાવે ખેડુતોમાં નિરાશા જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલ રાંધણગેસ સહિતના મોટા ભાગની ચીજવસ્તુઓમાં દિન પ્રતિદિન ભાવમાં વધારો થતો જોવા મળે છે ત્યારે દ્યઉના ભાવમાં વધારો ન થતાં ખેડુતો નિરાશા અનુભવી રહયા છે.
ગત વર્ષે ઘઉના ઉત્પાદનની શરૂઆત સમયે પ્રતિ મણ ૩૧૫ થી ૩૭૦ સુધીના બજારભાવ રહ્યા હતા તેની સરખામણીએ આ વર્ષે ઘઉના ઉત્પાદનની શરૂઆતમાં ૩૫૦ જેટલો ભાવ જોવા મળી રહ્યો છે જે ગત વર્ષની સરખામણીએ ભાવ વધારો જોવા નથી મળ્યો ખેડુતોના માનવા પ્રમાણે ઘઉનો પ્રતીમણ ઓછામાં ઓછો ૪૦૦ રૂપીયા ભાવ મળી રહે તેવુ ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે. એક બાજુ સરકાર ખેડુત સમૃદ્ઘ તો દેશ સમૃદ્ઘના નારા લગાવેછે તો બીજી તરફ ખેતી પ્રધાન ગણાતા દેશમાં ખેત ઉત્પાદનનોના પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની ખેડુતો તરફથી ફરીયાદ થઈ રહેલછે. ત્યારે ખરેખર ખેડુતોને સમૃદ્ઘિ તરફ લઈ જવા હોય તો તમામ ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તોજ ખેડુત સમૃદ્ઘ બનશે સાથે દેશને સમૃદ્ઘ બનાવવામાં પણ સહભાગી થશે પણ વર્ષોથી ખેત ઉત્પાદન તૈયાર થાય ત્યારે ખેડુતોના એક જ પ્રશ્ન હોયછે પોષણક્ષમ ભાવ પણ કયારે મળશે તે જોવાનું રહ્યું.