સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

પોરબંદર માં કોરોનાનું વધતું સંક્રમણ : વધુ ૪ મૃત્યુ : ૨૭ નવા કેસ : ૯ દર્દીઓ કોરોનાની સારવારમાં સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

પોરબંદર : કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. ૨૪ કલાકમાં વધુ ૪ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયેલ છે. કોરોના પોઝિટિવના નવા ૨૭ કેસ આવ્યા છે. ૯ દર્દીઓ કોરોનાની સારવારમાં સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

જિલ્લામાં આજે સાંજ સુધીમાં કુલ ૪૦૬ કોરોનાના કેસ હતા જેમાં ૨૭ કેસના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જિલ્લામાં મૃત્યુની સંખ્યા ૧૧૪ પહોચી છે તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦૪ દર્દીઓ કોરોનાની સારવારમાં સાજા થઈ ગયા છે. સિવિલમાં હોસ્પિટલમાં હાલ ૪૭ દર્દીઓ સારવાર લઈ રહેલ છે

(9:35 pm IST)