સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

જામજોધપુર પંથકમાં કોરોના કહેર : ૬૩ કોરોના પોઝિટીવ કેસ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા.૨૦ :  જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ૧૯  એપ્રિલના રોજ બપોર સુધીમાં ૧૭૫ દર્દીના રેપિડ ટેસ્‍ટ લેવામાં આવ્‍યા હતા જેમાં બપોર સુધીમાં તાલુકામાં ૫૩ દર્દીના રેપિડ ટેસ્‍ટ પોઝિટિવ આવ્‍યા હતાં.ત્‍યારપછી બપોર બાદ વધુ ૫૦ દર્દીના રેપિડ  ટેસ્‍ટ હાથ ધરાતાં વધુ ૧૦ દર્દીને  રેપિડ ટેસ્‍ટમાં કોરોના પોઝિટિવ આવ્‍યો છે.આમ આજ તાલુકામાં કુલ ૬૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં ચિંતા નું મોજું પ્રસરી ગયું છે.

(11:43 am IST)