સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

ખીરસરાના માતા-પુત્રી કહે છે કોરોનાથી ડરો નહીં સારવાર લો

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૨૦: કોરોનાને માત આપી સાજા થયેલ ખીરસરાના વિજુબેન વાગડીયા ઉ.વ ૪૫ તેમની પુત્રી તૃપ્તિબેન ઉ.વ.૧૪ લોકોને આ બંને માતા પુત્રી એક સંદેશ આપે છે કે કોરોનાથી ડરો નહીં પોઝિટિવ આવે અને સામાન્‍ય લક્ષણો જણાય એટલે હોમ આઇસોલેસ થાવ ઘરની અંદર રહીને સરકાર હોસ્‍પિટલના ડોક્‍ટરે આપેલી દવાઓ સમયસર લેવી તેઓ ઓક્‍સીજન લેવલ તેમજ પલ્‍સ માપવા આવે ત્‍યારે તેમને સહકાર આપો અને ઘરની અંદર આર્યુવેદિક ઉપચારોના ઉકાળા લેવા ગરમ પાણીથી કોગળા કરવા લિંબુ પાણી પીવું અને મનની અંદર ડર રાખ્‍યા વિના ઘરની અંદર કોરોનાની ૧૪ દિવસ જરૂરી સારવાર લેવાથી તાત્‍કાલિક સારૂ થશે અને અમે બંને સાજા થયેલ છીએ તો કોરોનાથી ગભરાવાની જરૂર નથી સાવચેતી અને સારવારની જરૂર છે.

(11:49 am IST)