સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

વિંછીયામાં કુંવરજીભાઇના હસ્તે ૬૦ બેડની કોરોના કેર સેન્ટરનો પ્રારંભ

આટકોટ : રાજયમાં દિવસેને દિવસે કોરોના કહેર વધી રહ્યો છે અને શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર કોરોના એ હાહાકાર મચાવી દીધો છે. આવા કપરા સમયમાં રાજકોટ ના વિંછીયાની કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય ખાતે મંત્રી કુંવરજી બાવાળીયાના હસ્તે ૬૦ બેડની કોરોના કેર સેન્ટરને શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ૩૦ બેડ ઓકિસજન ના અને ૩૦ બેડ કોરોના કેર સેન્ટરમાં શરૂ કરવામાં આવી છે. સાથે જ દર્દીઓને બે ટાઈમનું ભોજન અને સવારમાં નાસ્તાની ફેસેલિટી સાથેનું કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે (તસ્વીર અહેવાલ : વિજય વસાણી-આટકોટ)

(12:53 pm IST)