News of Tuesday, 20th April 2021
જૂનાગઢમાં કોરોનાનો કહેર વધતા કાલથી પાંચ દિવસ સ્વૈચ્છિક બંધ પાળવા અપીલ
મર્યાદિત્ત ચહલ-પહલ, સેનિટાઇઝેશન અને સોસીયલ ડિસ્ટર્ન્સિંગ થી કોરોનાનો ફેલાવો વધતો અટકાવવા અપીલ
જૂનાગઢ ઝવેરી એસોસિયેશન ના બધા જ સભ્યો કોરોના રોગને જૂનાઢ શહેરમાં ફેલાતો અટકાવવા માટે ચિંતિત છે. આજ રોજ કલેક્ટર સાથે વાત કરી , સર્વે સોની વેપારી સભ્યોને વિનંતી કરાઈ છે કેઆપણે વેપાર-રોજગાર ને આગામી ૫ દિવસ , એટલે કે ૨૧-૪-૨૦૨૧ થી ૨૫-૪-૨૦૨૧ સુધી સંપૂર્ણ રીતે બંધ રાખીયે...
આ ઉપરાંત મર્યાદિત્ત ચહલ-પહલ, સેનિટાઇઝેશન અને સોસીયલ ડિસ્ટર્ન્સિંગ થી કોરોનાનો ફેલાવો વધતો અટકાવીએ અને આપણે સૌ એને ટેકો આપીયે.તેમ અરવિંદભાઈ સોની
પ્રમુખ, જૂનાગઢ ઝવેરી એસોસિયેશનની યાદીમાં જણાવાયું છે
(7:31 pm IST)