ધોરાજીના જયંતિલાલ બાબરીયાનું અવસાનઃ પુત્રીએ કાંધ આપી અગ્નિદાહ આપ્યોઃ પુત્ર વિદેશમાં છેઃ સ્વ.નું ચક્ષુદાન થતા માનવ સેવા યુવક મંડળને ૪૪મું ચક્ષુદાન મળ્યું
ધોરાજી તા.ર૦ : અહીંના બાબરીયા પરિવારમાં થોડા સમય પુર્વે જયંતિભાઇ બાબરીયાનો પુત્ર જે ઓસ્ટ્રેલીયા સ્થીત કંપનીમાં નોકરી કરે છે અને ધોરાજી આવી ધામેધુમે લગ્ન કરી ફરી ઓસ્ટ્રેલીયા ગયેલને થોડા દિવસમાં તેમના પિતા જયંતીભાઇ બાબરીયાનું અવસાન થતા ઓસ્ટ્રેલીયા સ્થીત પુત્ર અમીત અને પરિવારજનો દ્વારા પિતાનું ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીને જણાવતા સ્વ.નું ચક્ષુદાન ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ડો. જયેશ વેસેટીયન અને ડો. અંકિતાબેન પરમાર અને મેડીકલ ટીમ દ્વારા કરાયુ અને ચક્ષુઓને માનવ સેવા યુવક મંડળને સોંપેલ જે રાજકોટ જી.ટી.હોસ્પીટલ ખાતે મોકલી દેવાયા બાદ સ્વ. જયંતીભાઇની અંતીમયાત્રા નીકળેલ હતી. જેમાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ શિક્ષણવિદો સામાજીક સંસ્થાના હોદેદારો સહિતના જોડાયા હતા.
પુત્ર વિદેશ હોય અને પિતાની અરથીને કાંધ આપીને પિતાને અગિ્નદાહ આપી પુત્રીએ પોતાના ભાઇની ગેરહાજરીમાં પોતાની ફરજ નિભાવી હતી અને હાજર સૌએ સ્વ.ની સેવાઓને બિરદાવીશ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા. આ તકે દિનેશભાઇ બાબરીયા, જીજ્ઞેશભાઇ બાબરીયા, પ્રવિણભાઇ બાબરીયા, જગદીશ પટેલ, હાર્દિક બાલધા, નીસીત પટેલ, મનુભાઇ પટેલ, જયેશભાઇ બાબરીયા, વિપુલભાઇ પણસારા, મનોજભાઇ ગઢીયા, વિજયભાઇ સાવલીયા, ધીરૂભાઇ બાબરીયા, જસ્મીતાબેન વિપુલકુમાર પણાસરા, હિનાબેન પ્રવિણભાઇ બાબરીયા, ગીતાબેન રાજભાઇ બાબરીયા સહિતના હાજર રહી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતુ.