News of Tuesday, 20th July 2021
બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમાની ઓનલાઇન ઉજવણી કરાશે
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૦ : ગોહિલવાડના પ્રખ્યાત તીર્થ સ્થળ અને બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે આગામી ગુરૂપૂર્ણિમા મહોત્સવની તારીખ ૨૪/ ૭/ ૨૦૨૧ને શનિવારના રોજ ઓનલાઇન ઉજવણી કરવામાં આવશે.
ગુરૂઆશ્રમ ખાતે સવારના ૭. ૩૦થી ૯. ૩૦ સુધી પૂજા વિધિ અને ધજા પૂજન, ધ્વજારોહણ અને પરંપરાગત ગુરૂ પૂજન ના કાર્યક્રમો થશે. ત્યાર બાદ ૯ૅં૩૦ થી આરતી ,થાળ વગેરે થશે. જેનો ઓનલાઇન દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવયો છે.
કોરોના મહામારી ના વર્તમાન દિવસો ને લીધે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ ગુરુપૂર્ણિમા મહોત્સવ ના દર્શન તેમજ પૂજનનો લ્હાવો લક્ષ ચેનલ, youtube ચેનલ, facebook ના માધ્યમથી જીવંત પ્રસારણ દ્વારા સૌ ભાવિક ભકતજનોએ ઘર બેઠા દર્શન પૂજન નો લાભ લેવા જણાવાયું છે.
(11:36 am IST)