પૂ.સરલાબાઇમાં આદિ થાણાનો ચાતુર્માસ પ્રવેશ
ચોટીલા સ્થા. જૈન સંઘના લીંબડી અજરામર સંપ્રદાયના
રાજકોટ,તા. ૨૦: ચોટીલા સ્થાનકવાસી જૈન સંઘમાં ચાતુર્માસ માટે અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ ભાવમુની મહારાજ સાહેબના આજ્ઞનાનું વર્તી સરલ સ્વભાવી પૂજય સરલાબાઈ મહાસતીજી, ઇન્દુબાઈ મહાસતીજી, વિપુલાબાઈ મહાસતીજી, જયશ્રીબાઈ મહાસતીજી, પ્રાપ્તિબાઈ મહાસતીજી, યાત્રીબાઈ મહાસતીજી આદિ ઠાણા ૬ ચોટીલા સંઘમાં ચાતુર્માસ પ્રવેશ કરેલ છે. ચોટીલા સંઘમાં ૨૭ વર્ષ બાદ ગામમાં દીકરી વિપશ્યનાબાઈ મહાસતીજી પધારતા સમસ્ત સંદ્ય તથા ચોટીલા ગામેં હર્ષની લાગણી અનુભવે છે પ્રવેશ બાદ સવારના નવકારશી નો લાભ રીટાબેન શાંતિલાલ શાહ,
પ્રવિનચંદ્ર કાંતિલાલ શાહ, પ્રેમચંદભાઈ મોહનભાઈ ખંધાર પરિવારે લીધેલ હતો તથા દરેક વ્યકિતને રૂપિયા ૪૦ ની પ્રભાવના તથા લાડુ ની પ્રભાવના પૂજય મહાસતીજીના ભકતો તરફથી કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘ પ્રમુખ સુરેશભાઈ ખંધાર, ટ્રસ્ટી જીગ્નેશભાઈ ખાંધાર, દિનેશભાઈ સંઘવી તથા પારસ ખંધારએ જહેમત ઉઠાવી હતી.