કાલે આમ આદમી પાર્ટીની ટીમ ટંકારા તાલુકાની મુલાકાતે
ગામડાના પ્રજાના દરબારમાં જઇ સીધો સંવાદ કરશે
ટંકારા તા. ૨૦ : આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ ટંકારા તાલુકાની મુલાકાતે આવી રહી છે. આપ ના આગેવાનો તાલુકાના ગામડાઓમા સીધા જ લોકોના દ્વારે જઈને પ્રજાના દરબારમા જવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. જનસંવેદના કાર્યક્રમ મુજબ ગામડામા કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના સ્વજનોને સધિયારો આપવાના રૂટમાં સ્થાનિક ટીમ સાથે રહેશે.
રાષ્ટ્રના રાજકારણમા પ્રવેશતા ની સાથે દિલ્હીમા દમામભેર પગદંડો જમાવી સુશાસન થકી પ્રજામા ભારે લોકચાહના મેળવનારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આગામી ગુજરાતની તમામ ચુંટણીઓ લડવા ખાંડા ખખડાવી રહી છે. ખાસ તો ૨૦૨૨ મા વિધાનસભાની તમામ બેઠકો માટે અત્યારથીજ તમામ સ્તરે પાસા ચકાસવાનુ કામ આપે કરી દીધુ છે. હાલ આપ ના ગુજરાત પ્રદેશ કક્ષાની ટીમ સોમનાથથી અંબાજી સુધી જન જનને મળવા જન સંવેદના કાર્યક્રમ હેઠળ રાજયમા કોરોના થી મૃત્યુ પામેલા મૃતકના સ્વજનોને મળી સધિયારો આપવા મળી રહ્યા છે. એ અંતગર્ત કાલે બુધવારે ટંકારા તાલુકામા આપ ની ટીમ લોકોને મળવા આવી રહી છે.
ટંકારા શહેરના આપ પ્રમુખ પંકજભાઈ ત્રિવેદીએ જણાવ્યા પ્રમાણે આપના પ્રદેશના ટોચના આગેવાનો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, મહેશભાઈ સવાણી અને પ્રવિણભાઈ રામ સહિતના અગ્રણીઓ બુધવારે બપોરે ટંકારા તાલુકા મથકે પહોંચતા તેઓનુ સન્માન બાદ ટુંકુ રોકાણ કરી અને ૩ થી ૫ દરમિયાન નેકનામ, ૫ થી ૭ ટંકારા, ૭ થી ૮ લજાઈ ગામે પ્રજાને સીધા જ તેના દ્વારે મળશે. રૂટના વચ્ચે આવતા દરેક ગામડે કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના પરિવાર અને સ્વજનોને રૂબરૂ મળી શાંત્વના પાઠવી સધિયારો આપવા જશે. આ દરમિયાન કોઈ રાજકીય કાર્યક્રમ રખાયો નથી. પરંતુ જન જન સુધી પહોંચી પ્રજાની સીધી મુલાકાત લેવાનો હેતુ છે. સમગ્ર રૂટમા તાલુકાની આપની ટીમ સાથે રહેશે. આમ આદમી પાર્ટીની ટંકારા તાલુકાની મુલાકાત દરમિયાન પંથકના અન્ય પક્ષોના રાજકીય મોટા માથાઓ કેજરીવાલની ટીમમાં જોડાઈને ઝાડુ પકડે એવી શકયતાઓ વરતાયી રહી છે.
આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરાપ્રભારી પ્રવીણભાઈ ફેફર, ધર્મેન્દ્ર કક્કડ પંકજભાઈ ત્રિવેદી શૈલેષભાઇ ધોરીયાની તેમજ પ્રકાશભાઈ ચૌહાણ તેમજ પીયૂષભાઈ પાલરીયા કૌશીક પ્રજાપતિ નેકનામ નલિનભાઈ દેત્રોજા શૈલેષભાઇ દેત્રોજા લજાઇ રાજેશભાઈ રૈયાણી,જીવાપર લાલજીભાઈ બારૈયા જોડાશે.
પ્રદેશના ટોચના આગેવાનો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, મહેશભાઈ સવાણી અને પ્રવિણભાઈ રામ સહિતના અગ્રણીઓ બુધવારે બપોરે ટંકારા તાલુકા મથકે પહોંચતા તેઓનુ સન્માન બાદ ટુંકુ રોકાણ કરી અને ૩ થી ૫ દરમિયાન નેકનામ, ૫ થી ૭ ટંકારા, ૭ થી ૮ લજાઈ ગામે પ્રજાને સીધા જ તેના દ્વારે મળશે.