શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પૂનમના પુષ્પોના દર્શન :
વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સાળંગપુરધામમા આવેલ સૌનું આસ્થાનું પ્રતીક ''શ્રદ્ધા કા દૂસરા નામ સાળગપુરધામ'' કે જ્યાં ધજા ફરકે છે સત ધર્મની એવા સાળંગપુરધામમાં આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર આયોજિત પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આજરોજ ભાદરવા સુદ પૂનમના દાદાના નિજ મંદિરમાં ''પૂનમના પુષ્પો ના અનોખા શણગાર દર્શન'' યોજાયેલ હતા આજે સવારે મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે પૂજારી સ્વામી શ્રી ડી. કે. સ્વામીજી દ્વારા કરવામાં આવેલ તેમજ 'શણગાર આરતી' સવારે સાત કલાકે પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી વિવેક સાગરદાસજી સ્વામીજી દ્વારા કરવામાં આવેલ હતી અત્યારે દરરોજ ભાવિક, ભકતજનો દ્વારા શ્રી મારૂતિ યજ્ઞ પણ થઈ રહ્યા છે આજે 'પૂનમ' હોય દૂર દૂર થી દાદાના દર્શનાથે વીશાળ સંખ્યામા ભાવિક, ભકતજનો આવેલા હતા, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જયના નારાથી મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતું.