સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th September 2021

ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોઃ

ગોંડલ : ગોંડલ એસ ટી બસ સ્ટેશન ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ગોંડલ તેમજ વીરપુર પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે રાજકોટ વિભાગ ના ગોંડલ ના કેરટેકર મીનાબેન પારેખ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ડેપો મેનેજર જે આર અગ્રાવત, આસી. સુપ્રી.એ ડી શ્રીમાળી, યુવા ભાજપ અગ્રણી કુલદીપસિંહ જાડેજા, યુનિયન ના આગેવાન રાજુભાઇ સોલંકી, મહિપાલભાઈ, હનીફભાઈ, શૈલેષભાઇ ગોવાણી, દેવેન્દ્રભાઈ પંડ્યા સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:47 am IST)