ગુજરાત વકફ બોર્ડની નવી કમીટીની રચના
રાજ્ય સરકાર દ્વારા નિર્મિત આ વકફ બોર્ડની રચાયેલી નવી બોડી હવે રાજયની વકફમાં સામેલ મિલ્કતો, પ્રશ્નોનું નીરાકરણ કરશે : ૧૦ સભ્યોની કમિટિમાંથી જ નવા ચેરમેન બનશે
(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૨૦ : ગત તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લીગલ ડીપાર્ટમેન્ટ યાને કાયદા વિભાગ દ્વારા જુના વકફ બોર્ડને વિખેરી નાખી નવી જ બોડીની રચના કરાય છે. કુલ ૧૦ સભ્યોની આ કમીટીના સભ્યો જ વકફ બોર્ડના નવા ચેરમેન બનાવશે અને આ ૧૦ સભ્યોમાંથી જ એક નવા ચેરમેનની નિમણુક થનાર છે.
નવા, રાજ્ય સરકાર દ્વારા નિર્મિત આ વકફબોર્ડના ૧૦ સભ્યોની પસંદગી આ મુજબ થયેલ છે. (૧) તાજદ્દી હાલાણી (આણંદ) (૨) સૈયદ એહમદશા નવાજશા (ભુજ-કચ્છ), (૩) ઝહીરભાઇ ગનીભાઇ કુરેશી (વડોદરા), (૪) સોફીયા અનવર જમાલ (ગોધરા) (૫) આદિલ કડીવાલા (પાદરા -વડોદરા), (૬) ઇકબાલ ખરોદ વ્હોસ (દાહોદ) (૭) જિશાન નકવી (કોડીનાર) (૮) આસીફ મોમીન એડવોકેટ (સાણંદ-અમદાવાદ) (૯) અબ્બાસ આર. વિરાણી (ભાવનગર) અને (૧૦) આસીફભાઇ કાદરભાઇ સલોત (રાજકોટ)નો સમાવેશ થયો છે.