સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

જામકંડોરણાના થોરાળાની સગીરાનું અપહરણ કરનારની શોધખોળ

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા. ૨૦ : જામકંડોરણા નજીક આવેલ થોરાળા ગામે રહેતા અને ખેતીમાં મજુરી કામ કરતા કાલીયા નરસુભાઇ બામણીયા (આદીવાસી) ઉવ.૪૦ની સગીર વયની પુત્રી (ઉવ. ૧૫) વર્ષ અને ૯ માસથી સગીરાનું બદ ઇરાદે અપહરણ કરી ગયેલ જેમાં આરોપી તરીકે વિક્રમ કરમશી ડામોર રહે રગર ફળીયુ બેલુડીયા (એમ.પી.)વાળા વિરૂધ્‍ધ જામકંડોરણા પોલીસ સ્‍ટેશન ખાતે ફરીયાદ કરતા પોલીસે આઇપીસી કલમ ૩૬૩/૩૬૬ મુજબનો ગુનો નોંધેલ હતો. આ બનાવ અને સીપીઆઇ એ.બી. કરમુરે આરોપીને પકડવા ગતિમાન કરેલ અને તપાસ હાથ ધરી છે.

 

(10:35 am IST)