વડિયા મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદની ઉજવણી
વડિયા : વડિયામાં પૈગમ્બર સાહેબના જન્મદિવસને ઇદે મિલાદના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડિયા મુસ્લિમ સમાજ દ્વવારા મુખ્ય બજારમાં જામા મસ્જિદથી ગેબશાહ પીરની દરગાહ શરીફ સુધી જુલુસ કાઢી ઉજવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના પ્રમુખ ઇમરાન હિંગોરા, સાહિલ ડોડીયા, કાળુ પરીયટ, અકીલ પઠાણ, મેહબૂબ મસ્કતી, ઇમરાન બલાપરિયા, ઘાચીસમાજના પ્રમુખ અનીશ બાલાપરિયા, સિપાઈ સમાજનાઙ્ગ મિહિરભાઈ સુમરા સાથે અનેક આગેવાનો ભાગ લીધો હતો. આ ઉપરાંત ન્યાજ તકસિમ કરવામાં આવી હતી તેમ જીગર કમિટીઙ્ગ અને આશિકે એહલેબેત કમિટી, અને મુસ્લિમ સમાજના અગ્રણી દ્વારા બપોરે અને સાંજેના સમયે જમવા(ન્યાઝ)નો પ્રોગ્રામ રાખેલ હતો. વડિયા પીએસઆઇ સરવૈયા અને તેમની ટીમ દ્વવારા બંદોબસ્ત સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.