સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

મોરબી અને ટંકારા પંથકમાં વસતા ઝાલા પરિવાર સમાજ તરફથી શકત સનાળા મુકામે શરદ પૂર્ણિમાના દિવસે ૩૩ માં યજ્ઞાદિ નું આયોજન

મોરબી અને ટંકારા પંથકમાં વસતા ઝાલા પરિવાર સમાજ તરફથી શકત સનાળા મુકામે છેલ્લા ૩૨ વર્ષથી હોમ યજ્ઞાદિનું આયોજન કરવામાં આવેછે

તા ૨૦ ને શરદ પૂર્ણિમાના દિવસે ૩૩ માં યજ્ઞાદિ નું આયોજન કરેલ છે
યજમાન પદે અર્જુનસિંહ વનરાજસિંહ ઝાલા સાદુરકા ( તારાપર),અજયસિંહ પ્રવિણસિંહ ઝાલા ( નાસિતપર), ધર્મેન્દ્ર સિંહ દાનુભા ઝાલા ( રાજપર) બિરાજશે.
સવારે ૭:30 થી ૧૨:૩૦ યજ્ઞ યોજાશે.
 ચાલુ વર્ષે કોરોનાની મહામારી અને સરકારની ગાઈડલાઈન મુજબ ધર્મસભા અને પ્રસાદનું આયોજન મોકૂફ રાખેલ હોવાનું શ્રી આદ્યશક્તિ ચરિટેબલ ટ્રસ્ટ શકત સનાળાની યાદીમાં જણાવાયું છે.

(11:39 am IST)