આઝાદી કા અમૃત મહોત્સવઅંતર્ગત જામકંડોરણામાં તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
જામકંડોરણામાં તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો (તસ્વીર : મનસુખ બાલધા)
(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા.ર૦ : શિક્ષણ વિભાગ, ગુજરાત રાજય તેમજ જીસીઇઆરટી, ગાંધીનગર ડીઆઇઇટી રાજકોટ પ્રેરીત બીઆરસી જામકંડોરણા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે જામકંડોરણા તાલુકા કક્ષાના કલા ઉત્સવ જામકંડોરણા બીઆરસી ભવન ખાતે યોજાયો હતો. જેમાં તાલુકાની ૭ સીઆરસીમાંથી ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને કાવ્ય ગાન સ્પર્ધામાંપ્રથમ ક્રમાંકે મેળવેલ શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વીતીય, તૃતીય ક્રમાંક મેળવેલ બાળકોને પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપવામાંઆવેલ આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ડી.ડી. પટેલ, તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી જે.જે. કુંભાણી, બી.આ.રસી. કો.ઓ. સંજયભાઇ બોરખતરીયા તથા જામકંડોરણા પ્રા. શિ. સંઘના હોદેદારો, નિર્ણાયકો મિત્રો, સી.આર.સી. કો.ઓ. મિત્રો તથા શિક્ષકોએ હાજરી આપી હતી.