સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

કેદારનાથમાં ફસાયેલા કેશોદના સાત યુવાનો સહિસલામત કેશોદ આવવા રવાના

કેશોદ તા. ર૦ :.. ઉતરાખંડના કેદારનાથની યાત્રાએ ગયેલ કેશોદના કિશન બોરડ સહિતના સાત યુવાનો સતત વરસાદ અને ભુસ્ખલનને લઇને કેદારનાથના દર્શન કરી પરત ફરતા ભેખડો ધસી આવતા રસ્તો બંધ થતા રસ્તામાં ફસાયા હતાં.

આ યુવાનોએ વીડીયો દ્વારા જણાવેલ છે કે હવે રસ્તો ખુલ્લો થઇ જતાં આ યુવાનો ઉતરાખંડ સરકાર અને ઉતરાખંડ પોલીસ તથા મીડીયા અને ગુજરાત સરકારનો આભાર વ્યકત કરતા જણાવેલ છે કે અમો સાતે યુવાનો સહીસલામત હરદ્વાર જવા નિકળી ગયા છીએ અને ટૂંક સમયમાં કેશોદ પહોંચી જઇશું.

(12:45 pm IST)