સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

25 ઓક્ટોબરથી જનરલ ટિકિટ ધરાવતા મુસાફરોને ભાવનગર-ઓખા અને સોમનાથ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોંમાં મુસાફરી કરવાની મંજૂરી

જેતપુર :  યાત્રિયોની માંગ અને સગવડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા 25 ઓક્ટોબર, 2021 થી ભાવનગર-ઓખા-ભાવનગર (09519/09520) અને સોમનાથ-અમદાવાદ-સોમનાથ (09420/09419) સ્પેશિયલ ટ્રેનોમાં જનરલ ટિકિટ ઘરાવતા યાત્રિયો ને યાત્રા કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

ટ્રેન નંબર 09519/09520 ભાવનગર-ઓખા-ભાવનગર સ્પેશિયલ ટ્રેનમાં, જનરલ ટિકિટ ધરાવતા યાત્રિયોને કોચ નંબર D6 થી D10 અને DL1 અને DL2 માં યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09420/09419 સોમનાથ-અમદાવાદ-સોમનાથ સ્પેશિયલ ટ્રેનમાં, કોચ નંબર D5 થી D8 અને DL1 અને DL2 માં જનરલ ટિકિટ ધરાવતા યાત્રિયોને યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ વિશેષ ટ્રેનોંના હોલ્ટ, રચના અને સમય કોષ્ટક સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

(6:53 pm IST)