સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

જામનગર-ખંભાળિયા નજીક કાર નદીમાં પડતાં બેનાં મોત

મોડપર ખાટિયા પાટિયા પાસે આવલા પુલની ઘટના : જામનગર જઈ રહેલા પરીવારને અકસ્માતથી ત્રણને ઈજા

જામનગર, તા. ૧૯ : ગુરુવારે વહેલી સવારે જામનગર-ખંભાળિયા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં, જ્યારે ત્રણ લોકોને ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા હતા.

જામનગર-ખંભાળિયા હાઇવે પર મોડપર ખાટિયા પાટિયા પાસે આવલા પુલ પરથી એક કાર નદીમાં ખાબકી હતી. લગભગ ૨૦ ફૂટની ઊંચાઇએથી કાર નદીમાં ખાબકતાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. દ્વારકા જિલ્લાનો આહીર પરિવાર જાનમગર ખાતે રહેતાં સંબંધીને ત્યાં મકાનના વાસ્તામાં જઇ રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો. સાળા અને બનેવીની નજરે સામે જ તેમની પત્નીના મોત નિપજ્યાં હતાં.

જાણવા મળ્યું છે કે, કારમાં કારચાલ સાથે સાળા-બનેવી તેમની પત્ની સાથે સવાર હતા. કાર પૂલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને મહિલાઓના મોત નિપજ્યાં હતાં, જ્યારે કારચાલક સહિત ૩ પુરુષોને ગંભીર ઇજા પહોંચી હતી.

ઘટનાને પગલે પોલીસ તથા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડીઆવી હતી. તથા સ્થાનિકલોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. જેમની મદદથી ઘાયલ લોકો અને મૃતકોને રેસ્ક્યુ કરી કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

(9:13 pm IST)