વાંકાનેરના ઢુવાથી માટેલ સુધીનો ૭ કીમી સીસીરોડનું ખાતમુહુર્ત
મોરબી : માટેલ ખોડીયાર મંદિરે હજારો શ્રદ્ઘાળુઓ જતા હોય છે ઉપરાંત માટેલ રોડ પર અનેક ફેકટરીઓ પણ ધમધમતી હોય છતાં રોડ બિસ્માર હાલતમાં હોય જે અંગે ઉદ્યોગકારોએ અનેક વખત રજૂઆત કરી હતી અને આખરે માટેલ ઢુવા રોડ સીસીરોડ બનાવવા મંજુરી મળી હોય જેથી આજે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું સરકારના લોકભાગીદારી પ્રોજેકટ અંતર્ગત કરોડોના ખર્ચે સીસીરોડ બનાવાશે જેનું ખાતમુર્હત કરાયું હતું માટેલ ઢુવા રોડ ૬ થી ૭ કિલોમીટર લંબાઈનો રોડ છે જે ૭ મીટર પહોળો આરસીસી રોડ બનાવાશે લાંબા સમયથી રોડ બિસ્માર હોય જે રોડનું ખાતમુર્હત કરવામાં આવતા ઉદ્યોગકારો, માટેલ દર્શનાર્થે જતા શ્રદ્ઘાળુઓમાં ખુશી જોવા મળી રહી છે ખાતમુર્હત કાર્યક્રમમાં ઢુવા અને માટેલના ઉદ્યોગપતિઓ, તેમજ માટેલ, ઢુવા, લાકડાધાર ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોડ કામનું ખાતમુહુર્ત કરાયુ તે તસ્વીર.