સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા કોરોનાને માત આપી સાજા થયા

વઢવાણ તા.૨૦ : થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ના ધારાસભ્ય શ્રી ઋત્વિક ભાઈ મકવાણા કોરોના સંક્રમિત થયા હતા અને તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારે તેમને. પ્રાથમિક સારવાર ચોટીલા રેફરલ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. અને વાંકાનેર થી ભાઈ ડો.મથુર અને ડો.રવિ નિયમિત પ્રયત્ન કરતાં રહ્યા. છતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું.

પ્રમાણમાં ખરાબ કહી શકાય એવી સ્થિતિ હતી, ડો.ઉમેચંદ્ર ગેડીયાનાં સીધા માર્ગદર્શન હેઠળ સી. યુ.શાહ મેડિકલ કોલેજ ની સમગ્ર ટીમ ડો. પ્રશાંત મરડિયા, ડો.શ્યામ શાહ, ડો.નિહાર ગેડીયા, ડો.વિપુલ દલસાનીયા, હોસ્પિટલનાં દરેક સ્ટાફ દ્વારા ખૂબ જ પારિવારિક અને અસરકારક સારવાર મળી. કોરોનાની મહામારીનાં કહેર વચ્ચે પણ આ પરિવાર સાથે સલામતી અને હુંફ અનુભવાઈ હોવાનું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:12 am IST)