લાભપાંચમના દિને જ સર્જાણી કરૂણાંતિકા
સ્કોર્પીઓએ હડફેટે લેતા ટંકારાના અટાળા ગામના ખેડૂત દેસાઇનું મોત : એકને ઇજા
ટંકારા,તા.૨૦ : તાલુકામાં લાભ પાંચમના સપરમા દિવસે ગમખ્વાર અકસ્માતમાં ઓટાળાના હેમંતભાઈ લાધાભાઈ દેસાઈ નું મૃત્યુ થયેલ છે અને મણીલાલ દેવશી ભાઈ દેસાઈ ને ગંભીર ઇજાઓ થયેલ છે
અકસ્માતની વિગતમાં ખેડૂત હેમંતભાઈ લાધાભાઈ દેસાઈ તથા મણિલાલ દેવશીભાઈ દેસાઈ પોતાના મોટરસાયકલ ઉપર પોતાના દ્યરેથી પોતાની વાડીએ જતા હતા ત્યારે ધ્રોલ થી ટંકારા હાઈવે રોડ ઉપર ટંકારા તરફ એક કિલોમીટર દૂર અજાણ્યા વાહને મોટર સાયકલને હડફેટે લેતા બંને વ્યકિતઓ રોડ ઉપર ફેંકાઇ ગયેલ, ગંભીર ઈજાઓ થયેલ .અજાણ્યો વાહન ના નાસી છૂટેલ .ગ્રામજનો એ બંને ઈજાગ્રસ્તોને ૧૦૮માં રાજકોટ ખસેડાયેલ. ત્યાં હેમતભાઈ લાધાભાઈ દેસાઈ નું અવસાન થયેલ છે . મણીલાલ દેવસીભાઈ દેસાઈને સારવારમાં છે બંને કૌટુંબિક ભાઈઓ છે. અજાણ્યા વાહન સ્કોર્પિયો હોવાનું ચર્ચાય છે.