સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

પોરબંદરમાં કોરોનાના વધુ ૩ કેસ

પોરબંદર, તા. ર૦ : કોરાનાના વધુ ૩ કેસ આવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાના કેસનો કુલ આંક ૮ર૦ પહોંચ્યો છે.

કોરાનાના નવા ૩ કેસ છાંયા વિસ્તારમાંથી આવ્યા છે. કોરાનાની સારવાર દરમિયાન પ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૩પ દર્દીઓ સાજા થયેલ છે. પોરબંદર સીવિલ ૧૧ દર્દીઓ કોરાનાની સારવાર લઇ રહેલ છે.

(11:30 am IST)