કલ્યાણપુર પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મ
રાજા લખમણ કણઝારીયા ખૂનની ધમકી આપીને નાશી છૂટ્યો
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૦: કલ્યાણપુર પંથકમાં રહેતા એક પરિવારની ૧૨ વર્ષ અને આઠ માસની સગીર વયની પુત્રીને રાજા લખમણ કણઝારીયા નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જઇ પોતાની વાડીની ઓરડીમાં રાખી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો જે બાદ સગીરા ઘરે એકલી હોય ત્યારે જાતીય હુમલો કરી બળાત્કાર ગુજારી કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સગીરાએ પરિવારજનોને વાત કરતાં સગીરાના પિતાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શખ્સને શોધખોળ હાથ ધરી છે.
દ્વારકાની સગીરાનું લગ્નની લાલચે અપહરણ
દ્વારકામાં રહેતા એક પરિવારની ૧૫ વર્ષની સગીર પુત્રીને કોઇ અજાણ્યો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જતા સગીરાના પિતાએ દ્વારકા પોલીસમાં ફરીયાદ નોંધવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
ભાટીયાની પરિણીતાને ત્રાસ
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતી લલીતાબેન મયુરભાઇ મકવાણા (ઉવ.૨૪)એ ખંભાળિયા મહિલા પોલીસ મથકમાં પતિ મયુર દેવશી મકવાણા, સસરા દેવશી કારા અને દિયર હિરા દેવશી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પતિ, સસરા, અને દિયર અવાર -નવાર નાની નાની વાતમાં અને ઘરકામ બાબતે ઝઘડા કરી ઢીકાપાટુનો મારમારી દુઃખ ત્રાસ આપે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.