સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th March 2023

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માઘ્યમથી તા.૨૭ માર્ચે યોજાશે ભરતી મેળો

રોજગાર ઇચ્છુકોએ તા.૨૭ માર્ચ, ૨૩ને સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લાઠી રોડ, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવું.

અમરેલી:અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માઘ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ વેલસ્પન ઈન્ડિયા લિ. (WELSPUN INDIA LIMITED) તા. અંજાર, જિ. કચ્છા માટે વિવિધ પદો પર ઉમેદવારોની આવશ્યકતા છે. આ જગ્યા માટે ૧૮ થી ૩૦ વર્ષની વય મર્યાદામાં, ધો.૧૦થી ઓછું ધો.૧૨, તેમજ આઈ.ટી.આઈ. ફીટર, મિકેનિક, ડીઝલ મિકેનિક, મશીનીસ્ટ, ઈલેક્ટ્રીશીયન, તકનીકી સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની આવશ્યકતા છે.

 

 આગામી તા. ૨૭ માર્ચ,૨૦૨૩ના રોજ અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ તા.૨૭ માર્ચ, ૨૩ને સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લાઠી રોડ, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવું. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ   http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે

 

(12:57 am IST)